ફિકહનો વિભાગ

જ- અત્ તહારતુ: તે અશુદ્ધતાને દૂર કરવા તેમજ દુષ્ટતાને દૂર કરવાનું નામ છે.
તહારતુલ્ ખુબુષ:
મુસ્લિમ માટે તેના શરીર પર, તેના કપડા પર અથવા તે સ્થળ અને જગ્યા, જ્યાં તેને નમાઝ પઢવાની હોય, તે સ્થાન પરથી ગંદકીને દૂર કરવી.
તહારતુલ્ હદષ:
પાણી વડે અથવા જ્યારે પાણી ન મળે ત્યારે અને જ્યારે પાણીનાં ઉપયોગથી કોઈ વાંધો આવતો હોય ત્યારે માટી વડે વઝૂ અને ગુસલ કરવું.

જ- પાણી વડે ધોઈશું જ્યાં સુધી તે પાક ન થઇ જાય.
અને જો કુતરું કોઈ વાસણમાં મોઢું નાખી દે તો તે વાસણને સાત વખત ધોઈશું અને પ્રથમ વખત માટી વડે ધોઈશું.

જ: નબી ﷺ એ કહ્યું: જ્યારે બંદો મુસલમાન અથવા મોમિન વઝુ કરે, અને મોઢું ધોવે તો તેના મોઢા માંથી તે બધા (સગીરહ) ગુનાહ નીકળી જાય છે, જે તેણે આંખો વડે કર્યા હોય, પાણી સાથે અથવા પાણીનાં છેલ્લા ટીપાં સાથે, પછી જ્યારે હાથ ધોવે છે, તો તેના હાથ વડે કરેલા દરેક ગુનાહ પાણી સાથે અથવા પાણીનાં છેલ્લા ટીપાં સાથે નીકળી જાય છે, પછી જ્યારે પગ ધોવે છે તો તે દરેક ગુનાહ જે તેણે પગ વડે ચાલીને કર્યા હોય તો તે પાણી સાથે અથવા તો પાણીનાં છેલ્લા ટીપાં સાથે નીકળી જાય છે, અહી સુધી કે દરેક ગુનાહ થી પાક સાફ થઇ જાય છે. આ હદીષને ઈમામ મુસ્લિમે રિવાયત કરી છે.

જ: ત્રણ વખત કાંડા સુધી હાથ ધોવા.
ત્રણ વખત કોગળા કરવા, નાકમાં પાણી ચઢાવી તેને સારી રીતે સાફ કરવું.
કોગળા :
મોઢામાં પાણી નાખવું, કોગળા કરી તેને બહાર કાઢવું.
નાકમાં પાણી ચઢાવું :
જમણી બાજુથી નાકમાં પાણી ખેચવું
અને ડાબી બાજુથી શ્વાસ લીધા પછી પાણી પાછું બહાર કાઢવુ,
પછી ત્રણ વખત ચેહરો ધોવો
પછી ત્રણ વખત કોળી સુધી હાથ ધોવા
પછી માથાના મસહ કરવો, એવી રીતે કે કપાળના ભાગેથી શરૂ કરી પાછળ સુધી લઇ જવું અને પછી કાનનો મસહ કરવ.
પછી ઘૂંટી સુધી ત્રણ વખત પગ ધોવ.
આ સંપૂર્ણ વઝુ થઇ ગયું, અને આ રીત આપ ﷺ થી બુખારી અને મુસ્લિમમાં વર્ણન મળે છે, હદીષ રિવાયત કરનાર ઉષ્માન અને અબ્દુલ્લાહ બિન ઝેદ વગેરે સહાબાઓ છે. અને બુખારીની હદીષમાં આ શબ્દોનો પણ વધારો છે કે આપે વુઝુ કરતી વખતે અંગોને એક એક વખત ધોયા, અને બે બે વખત પણ ધોવાનું વર્ણન મળે છે, અર્થાત : વુઝુ કરતી વખતે એક એક વખત અથવા બે બે વખત પણ અંગોને ધોવું સાબિત છે,

જ: જો કોઈ મુસલમાન વુઝુ કરતી વખતે આ અંગો માંથી કોઈ એક પણ અંગ ધોવાનું ભૂલી જાય તો તેનું વુઝુ ગણવામાં નહિ આવે.
૧. ચહેરો ધોવો, અને કોગળો અને નાકમાં પાણી ચઢાવવું.
૨. બન્ને હાથોને કોળીસુધી ધોવા.
૩. માથા અને કાનનો મસહ
૪. બન્ને પગને ઘૂંટી સુધી ધોવા
૫. અંગોને ધોવામાં ક્રમનો ખાસ ખ્યાલ રાખવો, પહેલા ચહરો, પછી માથાનો મસહ પછી પગ ધોવા.
૬. અલ-મુવાલાત: વુઝુ કરતી વખતે સમયના અંતર વિના સતત વુઝુ કરવું જોઈએ,
જેવી રીતે કે હમણા અડધું વુઝું કર્યું અને થોડીક વાર પછી અડધું વુઝુ કર્યું, તો આ પ્રમાણે વુઝુ નહિ ગણાય.

વુઝુમાં સુન્નત : અર્થાત જો તે અંગો ધોશો તો તમારા સવાબ અને નેકીમાં વધારો થશે અને જો તમે તેને છોડી દેશો તો કોઈ ગુનોહ નહિ થાય અને વુઝુ પણ સહિહ થઈ જશે.
૧. અત્ તસ્મિયતુ : બિસ્મિલ્લાહ કહેવું.
૨. મિસ્વાક કરવું
૩. બન્ને કાંડા ધોવા
૪. આંગળીઓ વચ્ચે ખિલાલ કરવો.
૫. અંગોને બે વખત અથવા ત્રણ વખત ધોવા
૬. જમણી બાજુથી શરૂ કરવું.
૭. વુઝુ પછી પઢવાની દુઆ: أشهد أن لا إله إلا الله، وحده لا شريك له، وأشهد أن محمدًا عبده ورسوله
૮. વુઝુ કર્યા પછી બે રકઅત નમાઝ પઢવી.

જ: સંડાસની જગ્યા અથવા પેશાબ કરવાની જગ્યા પરથી કઈ પણ નીકળવું, પેશાબ, ગંદકી અને હવા
ઊંઘ, પાગલપણું અને બેભાન થવું
ઊંટનું માસ ખાવું
કોઈ પરદા વગર શરમગાહ અથવા થાપાને સ્પર્શ કરવું.

જ : તયમ્મુમ : પાક માટીનો ઊપયોગ કરવો, જ્યારે પાણી ન મળે અને જ્યારે પાણીનો ઉપયોગ કરવાથી નુકસાન થતું હોય ત્યારે.

જ: એક વખત માટી પર હાથ મારવા અને એક વાર ચેહરો અને કાંડા સુધી મહ કરવો.

જ: જે કારણો થી વુઝુ તૂટી જાય તે જ કારણોથી તયમ્મુમ પણ તૂટી જાય છે.
જ્યારે પાણી મળી જાય,

જ: અલ્ ખફ્ફેય્યન : પગના ચામડાના મોજા
અલ્લ જવરબ : ચામડા સિવાયના બીજા મોજા
બન્ને પ્રકારના મોજા પર પગ ધોવાના બદલે મસહ કરવો જાઈઝ છે,

જ: બંદાઓ પર નરમી અને છૂટ : ખાસ કરીને ઠંડીના સમયે અને સફર કરતી વખતે, જયારે પગ ધોવામાં પરેશાની થતી હોય છે.

જ: ૧ એ કે મોજા પાકીની હાલતમાં પહેર્યા હોય. અર્થાત વુઝુ કર્યા પછી.
૨. મોજો પાક હોવો જોઈએ. ગંદા મોજા પર મસહ કરવો યોગ્ય નથી.
૩. જે અંગ જ્યાં સુધી ધોવા ફરજીયાત છે, તેટલો ભાગ મોજા વડે છુપાયેલો હોવો જરૂરી છે.
૪. નક્કી કરેલ સમય સુધી જ મોજા પર મસહ કરી શકાય છે, મુકીમ : અર્થાત જે મુસાફિર ના હોય તેના માટે એક દિવસ અને એક રાત સુધી. અને મુસાફિર માટે ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી.

જ: મસહ કરવાની પ્રકિયા આ પ્રમાણે છે : પોતાની હાથની આંગળીઓને પાણીમાં દુબાડી તેને પગના શરૂનાં ભાગેથી શરૂ કરી પિંડલી સુધી હાથ ફેરવવો જોઈએ, જમણા હાથથી જમણા પગે અને ડાબા હાથથી ડાબા પગ પર, અને મસહ કરતી વખતે આંગળીઓને ફેલાયલી રાખવી જોઈએ, ફરીવાર કરવાની જરૂર નથી.

જ: જ્યારે મોજા પર મસહ કરવાની મુદ્દત પૂરી થઇ જાય, મુદ્દત પૂરી થઇ ગયા પછી મોજાં પર મસહ કરવો જાઈઝ નથી, મુકીમ માટે એક રાત અને એક દિવસ, મુસાફિર માટે ત્રણ રાત અને ત્રણ દિવસ.
૨. જો કોઈ વ્યક્તિ એક મોજો અથવા બન્ને મોજાને ઉતારી દે, તો પછી તેના પર મસહ કરવું જાઈઝ નથી.

જ: અસ્સ સલાતુ : પોતાની જબાન અને પોતાના અમલ વડે અલ્લાહ માટે કરવામાં આવતી ખાસ ઈબાદત, જે તકબીરથી શરૂ થઇ અને સલામ પર પૂર્ણ થાય છે.

જ: દરેક મુસલમાન પર નમાઝ પઢવી ફરજીયાત છે.
અલ્લાહ તઆલા કહે છે:
ખરેખર દરેક મોમિનો પર નમાઝ તેના સમયસર પઢવી ફરજીયાત છે. ૧૦૩ સૂરે નિસા : ૧૦૩

જ: નમાઝ છોડનાર વ્યક્તિ કાફિર બની જશે, નબી عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ એ કહ્યું :
અમારી અને તેમની (કાફિરો) વચ્ચે એક વચન છે અને તે છે, નમાઝ, જે કોઈ નમાઝ છોડી દેશે તો તેણે કુફર કર્યું.
આ હદીષને ઈમામ અહમદ, ઈમામ તીર્મીઝી વગેરે લોકોએ વર્ણન કરી છે.

જ: દિવસ અને રાતમાં પાંચ વખતની નમાઝ ફર્ઝ છે, ફજરની નમાઝ, બે રકઅત, ઝોહરની ચાર રકઅત, અસરની ચાર રકઅત, મગરિબની ત્રણ રકઅત, અને ઇશાની ચાર રકઅત નમાઝ ફર્ઝ છે.

જ: અલ્ ઇસ્લામ : કાફિર માટે નમાઝ જાઈઝ નથી.
અલ્ અકલુ :
પાગલ વ્યક્તિ પર નમાઝ ફર્ઝ નથી.
તમીઝ :
નાના બાળક પર જેને તમીઝ ના હોય તેના ઉપર પણ નમાઝ ફર્ઝ નથી.
૪. નિયત
૫. નમાઝનો સમય થવો
૬. પાકી સફાઈ
૭. સંપૂર્ણ પાકી
૮. સતર : પરદો
૯. કિબલા તરફ ઉભા રહેવું

જ: નમાઝના ચાર પિલર છે, જે નીચે વર્ણન કરવામાં આવે છે.
પહેલું :
કિયામ : ઉભા રહેવું
તકબીરે ઉલા : પ્રથમ તકબીર અને તે "અલ્લાહુ અકબર"
સૂરે ફાતિહા પઢવી
રૂકુઅ કરવો : ઘૂંટણ પર ટેક લગાવી, કમર સીધી રાખી અને તેના બરાબર માથાનો ભાગ હોવો જોઈએ.
ઉભા થવું
મધ્યસ્થ ઉભા રહેવું
સિજદો કરવો :
કપાળ જમીન પર ટેકવું તેમજ નાક અને બન્ને પંજા અને બન્ને ઘૂંટણ સીજદાની જગ્યાએ બન્ની પગની આંગળીઓને ઉભી કરવી.
સિજદો કરી ઉભા થવું
બન્ને સિજદાની વચ્ચે બેસવું
અને સુન્નત એ કે ડાબા પગ ને ફેલાવી તેના પર બેસી જવું અને જમણા પગને ઉભો રાખવો અને આંગળીઓને કિબલા તરફ રાખવી.
દરેક રકઅત શાંતિપૂર્વક પઢવી.
છેલ્લે તશહ્હુદ
અને તેની બેઠક.
બે સલામ , અને તે બે વાર કહેવામાં આવે છે, "السَّلام عليكم ورحمة الله" અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.
ઉપરોકત વર્ણન કરવામાં આવેલ અરકાનની તરતીબ ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે, ઉદાહારણ તરીકે કોઈ વ્યક્તિ રૂકુઅ પહેલા જાણી જોઇને સિજદો કરી લે, તો તેની નમાઝ બાતેલ ગણવામાં આવશે, અથવા તો તેણે ભૂલ કરી તેમ માનવામાં આવશે, તેણે ફરીવાર નમાઝ પઢી અને પહેલા રૂકુઅ અને પછી સિજદો કરવો જરૂરી રહેશે.

જ: નમાઝનાં વાજિબ કાર્યો, તે આઠ છે, જે નીચે પ્રમાણે છે:
૧. પ્રથમ તકબીરે તહરીમા સિવાયની અન્ય તકબીરો
૨. «سمع الله لمن حمده» સમિઅલ્લાહુ લિમન હમિદહ ઈમામ અને જો કોઈ એકલો વ્યક્તિ નમાઝ પઢતો હોય તે બન્ને માટે કહેવું જરૂરી છે.
૩. ربنا ولك الحمد રબ્બના વલકલ્ હમ્દ કહેવું
૪. سبحان ربي العظيم» રૂકુઅમાં એક વખત સુબ્હાન રબ્બિયલ્ અઝીમ કહેવું
૫ . سبحان ربي الأعلى»સિજદામાં એક વખત સુબ્હાન રબ્બિયલ્ અઅલા કહેવું
૬. બન્ને સિજદાની વચ્ચે રબ્બિગ્ ફિર્ લી કહેવું
૭. પ્રથમ તશહ્હુદ
૮. પ્રથમ તશહ્હુદમાં બેસવું

જ: નમાઝમાં અગિયાર સુન્નતો છે, જે નીચે પ્રમાણે છે:
૧. તકબીરે તહરીમા પછી આ દુઆ પઢવી سبحانك اللهم وبحمدك، وتبارك اسمك، وتَعَالَىٰ جدك، ولا إله غيرك" સુબ્હાનકલ્લાહુમ્મ વ્ બિહમ્દિક, વ તબારકસ્મુક, વ્ તઆલા જદ્દુક, વલા ઇલાહ ગય્રૃક અને આ દુઆ દુઆઉલ્ ઇસ્તિફતાહના નામથી ઓળખાય છે.
૨. અત્ત તઅવ્વુઝ : અર્થાત અઉઝુબિલ્લાહિ પઢવું.
૩. અલ્લ બસ્મલતિ : બિસ્મિલ્લાહ પઢવું
૪. આમીન કહેવું
૫. સૂરે ફાતિહા પઢયા પછી બીજી કોઈ સૂરત પઢવી.
૬. ઈમામનું ઊચા અવાજે કિરઅત કરવી.
૭. તહમીદ પછી આ દુઆ પઢવી: "ملء السَّمٰوات، وملء الأرض، وملء ما شئت من شيء بعد".
૮. રૂકુઅમાં તસ્બીહ એક વખતથી વધારે વાર પઢવી, અથવા બીજી ત્રીજા તસ્બીહ પઢવી. અને વધુ પણ પઢી શકો છો.
૯. સિજદામાં તસ્બીહ એક વખતથી વધારે વાર પઢવી,
૧૦.બન્ને સિજદાની વચ્ચે એક વખત આ દુઆ પઢવી, રબ્બિગ્ ફિરલી.
૧૧. છેલ્લી તશહ્હુદ ની બેઠકમાં આપ પર અને આપના ખાનદાનનાં લોકો પર દરૂદ પઢવું અને તેમના માટે બરકત ની દુઆઓ કરવી, અને ત્યારપછી દુઆઓ કરવી.
ચોથું :
કરવાની સુન્નતો : જેને અલ્ હયઆતિ નામ આપવામાં આવે છે:
૧. પ્રથમ તકબીર સાથે રફઉલ્ યદેન કરવું.
૨. રૂકુઅ કરતી વખતે રફઉલ્ યદેન કરવું.
૩. જ્યારે રૂકુઅ થી ઉઠીએ ત્યારે રફઉલ્ યદેન કરવું.
૪. ત્યારપછી બન્ને હાથને નીચે દેવું જોઈએ,
૫. જમણા હાથને ડાબી હાથ પર મૂકવા
૬. નજર સિજદાની જગ્યા પર હોવી જોઈએ.
૭. બન્ને પગને સહેજ ફેલાવીને ઉભા રહેવું
૮. બન્ને હાથોના પંજા વડે મજબૂતી સાથે ઘૂટણને પકડી લેવા, હાથની આગળીઓને ફેલાવીને રાખવી, પીઠ સીધી રાખવી અને માથું બરાબર ઝુકેલું હોવું જોઈએ.
૯. સિજદો કરવાના અંગોને ઝમીન પર રાખવા, અને તેને સિજદાની જગ્યા પર ભેગા રાખવા.
૧૦. બન્ને બાજુઓને (બગલાના ભાગથી) ખુલ્લા રાખવા, પેટને રાનના ભાગથી અલગ રાખવુ, રાનના ભાગને પીંડલીના ભાગથી અલગ રાખવુ, બન્ને ઘૂંટણને અલગ રાખવા, બન્ને પગને (કદમને) ઉભા રાખવા, બન્ને હાથોનાં પંજાને ઝમીન પર અલગ અલગ રાખવા, અને બન્ને હાથને ખભાના ભાગ બરાબર રાખવા, આંગળીઓને ફેલાવીને રાખવી
૧૧. બે સિજદા વચ્ચે, પ્રથમ તશહહુદમાં અને તવર્રુકની એક ખાસ બેઠક
૧૨. બન્ને હાથોને બન્ને રાન પર ફેલાવીને મૂકી દેવા, બન્ને સિજદા વચ્ચે આંગળીઓને ભેગી રાખવી, અને તશહહુદની બેઠકમાં પણ આ પ્રમાણે જ થશે, ફક્ત જમણા હાથની છેલ્લી બન્ને આંગળીઓને મુકેલી રાખવી, અને વચ્ચે વાળી આંગળી તેમજ અંગુઠા વડે ગોળ સર્કલ બનાવવું, અને શહાદતની આંગળી વડે અલ્લાહના ઝિકર વખતે ઈશારો કરવો.
૧૩. જમણી અને ડાબી બાજુ સલામ ફેરવવું.

૧. કોઈ પણ રુકનને અથવા નમાઝની શરતો માંથી કોઈ શરત છોડી દેવી.
૨. જાણી જોઈને વાતચીત કરવી
૩. ખાવું પીવું
૪. સતત કોઈ વ્યર્થ હરકત કરતા રહેવું.
૫. જાણી જોઈને નમાઝના વાજિબ કાર્યોને છોડવાથી

જ. નમાઝ પઢવાની સંપૂર્ણ રીત :
૧. સંપૂર્ણ શરીરને કીબ્લા તરફ કરવું, આમ તેમ ફર્યા વગર.
૨. જે નમાઝ પઢી રહ્યા હોય તેની નિયત દિલમાં કરવી, નિયત જબાન વડે ન કરવી જોઈએ
૩. પછી પ્રથમ તકબીર જેને તકબીરે તહરિમા કહે છે, અલ્લાહુ અકબર કહેવું જોઈએ, અને પોતાના હાથ ખભા સુધી ઉંચા ઉઠાવવા જોઈએ.
૪. પછી જમણા હાથની હથેળીને ડાબા હાથની હથેળી પર છાતી પર મુકવા
૫. પછી દુઆએ ઇસ્તિફતાહ પઢવી જોઈએ. «હે અલ્લાહ ! તું મારા અને મારા ગુનાહો વચ્ચે એટલું અંતર કરી દે જેટલું પૂર્વ અને પશ્ચિમ દરમિયાન છે, હે અલ્લાહ ! મને ગુનાહોથી એવી રીતે પાક કરી દે, જે રીતે સફેદ કપડાં માંથી મેલ સાફ કરવામાં આવે છે, હે અલ્લાહ ! તું મારા ગુનાહોને પાણી, બરફ અને કરાથી ધોઈ નાખ».
અથવા તો આ દુઆ પણ પઢી શકાય છે:
«હે અલ્લાહ તું પાક છે અને દરેક પ્રકારના વખાણ ફક્ત તારા જ માટે છે, તારું નામ બરકતવાળું છે અને તું બુઝુર્ગ અને ઉંચ્ચ છે, તારા સિવાય કોઈ સાચો ઇલાહ નથી»
૬. પછી તઅવવુઝ્ પઢવું જોઈએ. અઉઝુબિલ્લાહિ મિનશ્શયતાનિર્ રજીમ ૭. પછી બિસ્મિલ્લાહ પઢી સૂરે ફાતિહા પઢવી જોઈએ. (શરૂ કરું છું અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને મહેરબાન છે. ૧ દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે. ૨ (જે) ઘણો જ કૃપાળુ, અત્યંત દયાળુ, (છે). ૩ બદલાના દિવસ (કયામત) નો માલિક છે. ૪ અમે ફકત તારી જ બંદગી કરીએ છીએ અને ફકત તારી જ પાસે મદદ માંગીએ છીએ. ૫ અમને સત્ય (અને સાચો) માર્ગ બતાવ. ૬ તે લોકોનો માર્ગ, જેમના પર તે કૃપા કરી. તે લોકોનો (માર્ગ) ન બતાવ, જેમના પર તું ક્રોધિત થયો અને તેમનો પણ માર્ગ ન બતાવ, જેઓ પથભ્રષ્ટ છે. ૭) [સૂરે અલ્ ફાતિહા: ૧-૭].
ત્યારપછી (આમીન) કહેવું અર્થાત્: હે અલ્લાહ તું કબૂલ કર.
૮. પછી કુરઆન મજીદ માંથી જે કઈ યાદ હોય તેની કિરાત કરવી, અને ફજરની નમાઝમાં કિરાત લાંબી કરવી.
૯. પછી રૂકુઅમાં જવું : અર્થાત પોતાની પીઠ અલ્લાહની મહાનતા સામે ઝુકાવી દેવી, અને રૂકુઅમાં અલ્લાહની મહાનતાનું વર્ણન કરવું, અને પછી ખભા સુધી હાથ ઉઠાવી રફઉલ્ યદેન કરવું.
અને સુન્નત તરીકો :
પોતાની પીઠ સીધી રાખવી, અને તેના બરાબર માથું હોવું જોઈએ, અને પોતાના બન્ને હાથ પોતાના ઘૂંટણ પર હોવા જોઈએ, અને આંગળીઓ અલગ હોવી જોઈએ.
૧૦. અને રૂકુઅમાં આ દુઆ ત્રણ વખત પઢવી જોઈએ : سبحان ربي العظيم અને જો હજુ વધુ પઢવાની ઈચ્છા હોય તો سبحانك اللهم وبحمدك، اللهم اغفر لي» પઢવું જોઈએ. અને એ સારી વાત છે.
૧૧. અને પછી આ દુઆ પઢતા રૂકુઅ માંથી માથું ઉઠાવવું જોઈએ, سمع الله لمن حمده અને ખભા સુધી હાથ ઉઠાવી રફઉલ્ યદેન કરવું જોઈએ, અને ઈમામની પાછળ ઉભેલા નમાઝીઓ سمع الله لمن حمده નહિ કહે પરંતુ તેના જવાબમાં તેઓ ربنا ولك الحمد કહેશે.
૧૨. પછી રૂકુઅ માંથી માથું ઉઠાવીને આ દુઆ પણ પઢવી જોઈએ.
ربنا ولك الحمد، ملء السماوات والأرض، وملء ما شئت من شيء بعد».
૧૩. પછી અલ્લાહુ અકબર કહી પહેલો સિજદો કરવો જોઈએ, અને સિજદો શરીરના સાત અંગો પર થવો જોઈએ, કપાળ, નાક, બન્ની હથેળીઓ, બન્ને ઘૂંટણ, પગનાં બન્ની પંજા, અને પોતાના બગલાના ભાગને બાજુઓથી અળગા રાખવા જોઈએ, અને પોતાના હાથ ઝ્મીના પપર ફેલાયેલા ન રાખવા જોઈએ, અમે પોતાની આગળીઓ કિબ્લા તરફ હોવી જોઈએ.
૧૪. અને સિજદામાં ત્રણ વખત આ દુઆ પઢવી જોઈએ, سبحان ربي الأعلى
જો હજુ વધુ પઢવાની ઈચ્છા હોય તો سبحانك اللهم وبحمدك، اللهم اغفر لي» પઢવું જોઈએ. અને એ સારી વાત છે.
૧૫. પછી અલ્લાહુ અકબર કહી સિજદાથી માથું ઉઠાવવું જોઈએ.
૧૬. પછી ડાબા પગ ઉપર બન્ને સિજદાની વચ્ચે બેસવું જોઈએ અને જમણા પગને ઉભા રાખાવ જોઈએ, અને જમણો હાથ પોતાની ડાબી ઘૂંટણ તરફ રાન પર મુકવા જોઈએ, અને છેલ્લી અને વચ્ચેની આગળીઓને ફેલાવી દેવી જોઈએ, અને શહાદતની આગળીથી દુઆનાં સમયે હરકત કરવી જોઈએ, અને વચ્ચેની આગળી તેમજ અગુઠાં વડે ગોરા સર્કલ બનાવી લેવું જોઈએ, અને ડાબો હાથને અને આગળીઓને ફેલાવી પોતાની ડાબી ઘૂંટણ તરફ રાન પર મુકવા જોઈએ,
૧૭. અને બન્ને સિજદાની વચ્ચે આ દુઆ પઢવી જોઈએ, «رب اغفر لي، وارحمني، واهدني، وارزقني، واجبرني، وعافني».
૧૮. ફરી બીજો સિજદો પહેલા સિજદાની જેમ જ કરવો જોઈએ. તે જ દુઆ પઢવી જોઈએ, અને એવી જ રીતે કરવો જોઈએ. અને અલ્લાહુ અકબર કહી સિજદો કરવો જોઈએ.
૧૯. પછી અલ્લાહુ અકબર કહી બીજા સિજદા માંથી ઉભા થઇ જઈશું, અને બીજી રકઅત પઢીશું, જેવી રીતે પહેલી રકઅત પઢી, એવી જ રીતે બીજી રકઅત પણ પઢીશું, બીજી રકઅતમાં દુઆએ ઇસ્તિફતાહ પઢવામાં નહિ આવે.
પછી બીજી રકઅત પઢી લીધા પછી અલ્લાહુ અકબર કહી, જે પ્રમાણે બે સિજદાની વચ્ચે બેસવામાં આવે છે, એવી જ રીતે બીજી રકઅત પઢી લીધા પછી બેસવામાં આવશે.
૨૧. અને આ બેઠકમાં તશહહુદ પઢીશું, અને કહીશું. «التحيات لله والصلوات والطيبات، السلام عليك أيها النبي ورحمة الله وبركاته، السلام علينا وعلى عباد الله الصالحين، أشهد أن لا إله إلا الله، وأشهد أن محمداً عبده ورسوله، اللهم صلِّ على محمد وعلى آل محمد، كما صليت على إبراهيم وعلى آل إبراهيم، إنك حميد مجيد، وبارك على محمد وعلى آل محمد، كما باركت على إبراهيم وعلى آل إبراهيم، إنك حميد مجيد. أعوذ بالله من عذاب جهنم، ومن عذاب القبر، ومن فتنة المحيا والممات، ومن فتنة المسيح الدجال»، અને પછી દુનિયા અને આખિરતની ભલાઈ માટે દુઆ કરીશું.
૨૨. પછી અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહિ કહીને જમણી બાજુ સલામ ફેરવીશું, અને એવી જ રીતે ડાબી બાજુ પણ.
૨૩. અને જ્યારે ત્રીજી તેમજ ચોથી રકઅત પઢતા હોય તો પહેલા તશહહુદમાં ફક્ત આટલું જ પઢી રુકી જઈશું,
૨૪. પછી અલ્લાહુ અકબર કહી ખભા સુધી હાથ ઉઠાવી ત્રીજી રકઅત માટે ઉભા થઈશું
૨૫. પછી ત્રીજી અને ચોથી રકઅત પહેલી રકઅતની જેમ જ પઢીશું, પરંતુ ફક્ત સૂરે ફાતિહા જ પઢીશું.
૨૬. પછી તવર્રુકની બેઠકમાં બેસીશું, પછી જમણા પગને ઉભો કરી, અને જમણા પિંડલીના ભાગથી ડાબો પગ બહાર કાઢીશું, અને નીચે ઝમીન પર બેસવામાં આવશે, અને પહેલા તશહહુદની જેમ જ હાથ રાન પર મુકીશું.
૨૭. અને પછી સંપૂર્ણ તશહહુદની દુઆઓ પઢીશું.
૨૮. અને પછી અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહ કહી જમણી બાજુ સલામ ફેરવીશું અને એ પ્રમાણે જ ડાબી બાજુ ફેરવીશું.

أَسْـتَغْفِرُ الله» ત્રણ વખત
- «اللّهُـمَّ أَنْـتَ السَّلامُ، وَمِـنْكَ السَّلام، تَبارَكْتَ يا ذا الجَـلالِ وَالإِكْـرام».
- «હે અલ્લાહ ! હું તારી પાસે માફી માંગુ છું, (ત્રણ વખત) હે અલ્લાહ ! તું જ સલામતી વાળો છે, અને સલામતી તારા થી જ છે, હે બુઝુર્ગ અને ઇઝ્ઝતવાળા ! તું ઘણો જ બરકતવાળો છે».
- «અલ્લાહ સિવાય કોઈ ઈબાદત ને લાયક નથી,તે એકલો છે,તેનો કોઈ ભાગીદાર નથી,તેની જ બાદશાહી છે,અને તેના માટે જ પ્રશંસા છે,અને તે જ દરેક વસ્તુ પર કુદરત રાખનાર છે, અલ્લાહ ની મદદ સિવાય કોઈ વસ્તુ થી બચવાની ક્ષમતા નથી અને ન તો કોઈ વસ્તુ કરવાની તાકાત છે,અલ્લાહ નાં સિવાય કોઈ ઈબાદત ને લાયક નથી,તેના માટે જ નેઅમતો છે,અને તેના માટે જ ફઝલ છે,અને તેના માટે જ બધી પ્રશંસા છે,અલ્લાહ સિવાય કોઈ ઈબાદત ને લાયક નથી,અમે અમારી ઈબાદત તેના માટે જ ખાલિસ કરવા વાળા છે,ભલે કાફિરોને ખરાબ લાગે.».
سُـبْحانَ اللهِ ત્રેતીસ વખત
لحَمْـدُ لله ત્રેતીસ વખત
અલ્લાહુ અકબર ત્રેતીસ વખત
અને પછી સો ની ગણતરી પૂરી કરવામાં આ દુઆ પઢવી જોઈએ «અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, તે એકલો જ છે, અને તેનો કોઈ ભાગીદાર નથી, તેના માટે જ સામ્રાજ્ય છે અને તેના માટે જ પ્રસંશા છે, તે જ જિવન અને મૃત્યુ આપે છે, અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે».
અને સૂરે ઇખ્લાસ અને મુઅવ્વઝતેન (સૂરે ફલક અને સૂરે નાસ) ફજર અને મગરિબની નમાઝ પછી ત્રણ વખત અને બીજી ફર્ઝ નમાઝ પછી એક એક વખત પઢવી જોઈએ.
અને એક વખત આયતુલ્ કુર્સી પઢવી જોઈએ.

જ. ફજર પહેલા બે રકઅત
ઝોહર પહેલા ચાર રકઅત
ઝોહર પછી બે રકઅત
મગરિબ પછી બે રકઅત
ઇશા પછી બે રકઅત
તેને મહત્વતા વિશે, આપ ﷺ કહ્યું : જે વ્યક્તિ દિવસ અને રાતમાં બાર સુન્નત નમાઝ પઢશે તો અલ્લાહ તઆલા તેના માટે જન્નતમાં એક ઘર બનાવશે. આ હદીષને ઈમામ મુસ્લિમ અને અહમદ અને અન્ય હદીષની કિતાબોમાં રીવાયત કરવામાં આવી છે.

જ. શુક્રવારનો દિવસ આપ ﷺ એ કહ્યું : તમારા દિવસોમાં સૌથી વધારે મહત્વનો દિવસ શુક્રવારનો દિવસ છે, તે જ દિવસે આદમને પેદા કરવામાં આવ્યા, તે જ દિવસે તેમનું મૃત્યુ થયું અને તે જ દિવસે સૂરમાં ફૂકવામાં આવશે, તે જ દિવસે તમને બેહોશ કરવામાં આવશે, તમે વધારે મારાં પર દરૂદ પઢતા રહો એટલા માટે કે તમારૂ દરૂદ મારિ સ્મ્ક્ષ હાજર કરવામાં આવે છે. કહ્યું હે અલ્લાહના રસૂલ ﷺ ! તમારી સમક્ષ કઈ રીતે દરૂદ હાજર કરવામાં આવે છે, જ્યારે કે તમે માટી બની ગયા હશો? આપ ﷺ એ કહ્યું : નિશંક અલ્લાહ તઆલાએ પયગબંરોનાં શરીરને માટી પર હરામ કર્યું છે. આ હદીષને અબૂ દાવૂદ વગેરે હદીષની કિતાબોમાં વર્ણન કરવામાં આવી છે.

જ. ફર્ઝ છે, જરૂરી છે, દરેક બાલીગ, બુદ્ધિશાળી અને રહેવાસી પર.
અલ્લાહ તઆલા કહે છે. હે ઈમાનવાળાઓ ! શુક્રવારનાં દિવસે જ્યારે નમાઝ માટે અઝાન કહેવામાં આવે તો અલ્લાહના ઝિકર તરફ દોડીને આવો, અને લે-વેચ કરવાનું છોડું દો, જો તમે સમજતા હોવ તો આ જ વાત તમારા માટે ઉત્તમ છે. સૂરે જુમ્અહ :

જ. શુક્રવારની નમાઝની બે રકઅત ફર્ઝ છે, જેમાં ઈમામ બુલંદ અવાજથી કિરાઅત કરે છે, તે પહેલા બે ખુત્બા કરવામાં આવે છે,

જ. કોઈ શરઈ કારણ વગર શુક્રવારની નમાઝ છોડવી જાઈઝ નથી, આપ ﷺની એક હદીષ આ વિશે જાણવા મળે છે, જેમાં આપ ﷺ કહે છે: જે વ્યક્તિ આળસ કરતા ત્રણ શુક્રવારની નમાઝ છોડી દે, અલ્લાહ તઆલા તેના દિલ પર મહોર લગાવી દે છે. આ હદીષને અબૂ દાવૂદ વગેરે હદીષની કિતાબોમાં વર્ણન કરવામાં આવી છે.

જ.
૧. સ્નાન કરવું
૨. ખુશ્બુ લગાવવી
૩. સારા કપડા પહેરવા
૪. મસ્જિદ તરફ અલ્લાહુ અકબર કહી જવું
૫. વધારેમાં વધારે આપ ﷺ પર દરૂદ પઢવું
૬. સૂરે કહ્ફ પઢવી.
૭. મસ્જિદ તરફ ચાલતા જવું
૮. દુઆ કબુલ થવાનો જે સમય છે, તે સમય શોધવાનો પ્રયત્ન કરવો.

જ. અબ્દુલ્લાહ બિન ઉમર રઝી. કહે છે રસૂલ ﷺ એ કહ્યું : જમાઅત સાથે પઢનારની નમાઝનો સવાબ એકલા નમાઝ પઢનારનાં સવાબ કરતા ૨૭ ગણો વધારે સવાબ મળે છે. આ હદીષને મુસ્લિમ શરીફે રીવાયત કરી છે.

જ. દિલની હાજરી સાથે નમાઝ પઢવી તેમજ શાંતિપૂર્વક નમાઝ અદા કરવી
અલ્લાહ તઆલા કહે છે. ઈમાનવાળાઓ સફળ થઇ ગયા. જેઓ પોતાની નમાઝ દિલનીએ આજીજી સાથે પઢે છે. સૂરે મુઅમિનૂન : ૧-૨

જ. માલમાં જરૂરી હક, જે ચોક્કસ સમયે એક ખાસ જૂથ તરફથી કાઢવામાં આવે છે.
અને તે ઇસ્લામના અગત્યના પાંચ પિલર માંથી એક છે, જરૂરી સદકો જે સમાજના માલદાર તબક્કા પાસેથી ઉઘરાવી ત્યાના ફકીર તબક્કાને આપવામાં આવે છે.
અલ્લાહ તઆલા કહે છે. અને ઝકાત આપતા રહો. સૂરે બકરહ : ૪૩

જ. ઝકાત વગર કાઢવામાં આવતી રકમને કહે છે, ઉદાહરણ તરીકે કોઈ પણ ભલાઈના કાર્યમાં સદકો આપવો, જે તે સમયમાં ઈચ્છા થયા આપી શકો છો.
અલ્લાહ તઆલા કહે છે. અને અલ્લાહનાં માર્ગમાં ખર્ચ કરતા રહો. સૂરે બકરહ : ૧૯૫

જ. નિયત કરી ફજરની નમાઝથી લઈ સૂર્યાસ્ત સુધી ખાવા પીવાથી અલ્લાહ માટે રૂકી જવું, આ ઈબાદતને સિયામ કહે છે, તેના બે પ્રકાર છે.
વાજિબ સિયામ :
જેવું કે રમઝાનના ફર્ઝ રોઝા, અને આ ઇસ્લામના પિલર માંથી એક છે.
અલ્લાહ તઆલા કહે છે. હે ઇમાનવાળાઓ ! તમારા પર રોઝા રાખવા જરૂરી કરી દેવામાં આવ્યા છે, જેવી રીતે તમારા પહેલાના લોકો પર જરૂરી કરી દેવામાં આવ્યા હતા, જેથી તમે ડરવાવાળા બની જાઓ. સૂરે બકરહ : ૧૮૩
અને એવા રોઝા જે વાજિબ નથી, ઉદાહરણ તરીકે અઠવાડિયામાં સોમવાર અને ગુરુવારનો રોઝો, દર મહિને અય્યામે બીઝ અર્થાત ઇસ્લામિક કેલેન્ડરની (૧૩,૧૪,૧૫) તારીખનાં ત્રણ રોઝા.

જ. અબૂ હુરેરહ રઝી. રિવાયત કરી કે રસૂલ ﷺ એ કહ્યું જે વ્યક્તિએ ઈમાન અને સવાબની આશા રાખતા રમઝાનના રોઝા રાખ્યા તેના ભૂતકાળના ગુનાહ માફ કરી દેવામાં આવે છે. બુખારી અને મુસ્લિમ

અબૂ સઈદ ખુદરિ રઝી. વર્ણન કરે છે કે આપ ﷺ એ કહ્યું : જે વ્યક્તિએ પણ અલ્લાહના માર્ગમાં એક દિવસનો રોઝો રાખ્યો તેના બદલામાં અલ્લાહ તઆલા તેને જહન્નમતથી સિત્તેરવર્ષની દૂરી પર કરી દે છે. બુખારી/ મુસ્લિમ
સબઈન ખરીફન નો અર્થ થાય છે, સિત્તેર વર્ષ

જ. જાણી જોઇને ખાવા પીવાથી
૨. જાણીજોઇને ઉલ્ટી કરવાથી
૩. ઇસ્લામથી ફરી જવું

જ. ૧. ઇફ્તારીમાં ઉતાવળ કરવી.
૨. સહેરી ખાવી અને તેમાં વિલંબ કરવી.
૩. વધુમાં વધુ ભલાઈ અને ઈબાદતનાં કાર્ય કરવા
૪. જે ગાળો આપે તેને કહેવું કે હું રોઝાથી છું.
૫. ઇફતારીનાં સમયે દુઆ કરવી
૬. ખજુર વડે ઇફતારી કરવી, જો ખજુર ન મળે તો પાણી વડે ઇફતારી કરવી.

જ. હજ : ચોક્કસ સમયમાં બેતુલ્લાહ તરફ જઈ અલ્લાહ માટે ખાસ અમલ કરવાને હજ કહે છે
અલ્લાહ તઆલા કહે છે અને લોકો પર અલ્લાહ તઆલાનો હક એ છે કે જે વ્યક્તિ તેના ઘર સુધી પહોંચી શકતો હોય તે આ ઘરનો હજ કરે, અને જે કોઇ આ આદેશનો ઇન્કાર કરશે (તે સારી રીતે સમજી લે) કે અલ્લાહ તઆલા સમગ્ર સૃષ્ટિથી બેનિયાઝ છે. સૂરે આલિ ઇમરાન : ૯૭

જ. ૧. એહરામ
૨. અરફામાં ઠહેરવું
૩, તવાફે ઇફાઝા
૪. સફા અને મરવાહ વચ્ચે સઈ

જ. આવું હુરેરહ રઝી. કહે છે કે મેં આપ ﷺ ને કહેતા સાભળ્યા કે : જે વ્યક્તિ એવી રીતે હજ કરે કે હજ વખાતે ન તો તેનાથી કોઈ વ્યર્થ કાર્ય થયું હોય અથવા ન તો કોઈ ગુનોહ થયો હોય તો તે એવી રીતે પાછો ફરશે જેવું કે માતાના પેટ માંથી નીકળ્યો હોય. આ હદીષને બુખારી અને હદીષની બીજી કિતાબોમાં રિવાયત કરી છે
જે દિવસે તેની માતા તેને જન્મ આપે, તે દિવસની માફક, અર્થાત ગુનાહ કર્યા વગર.

જ. ઉમરહ : કોઈ પણ સમયે અલ્લાહ માટે બેતુલ્લાહ જઈ કરવામાં આવતા ખાસ અમલ અને ઈબાદત.

જ. ૧. એહરામ
૨. બેતુલ્લાહનો તવાફ
૩. સફા અને મરવાહ વચ્ચે સઈ (દોડવું)

જ. ઇસ્લામનાં પ્રચાર પ્રસારણ માટે કરવામાં આવતી મહેનત, પોતાનો અને પોતાના ઘરવાળાઓ માટે જરૂરત પડવા પર કરવામાં આવતી મહેનત, અને ઇસ્લામના દુશ્મનો અને તેમના ઘરવાળાઓ સાથે કતલ.
અલ્લાહ તઆલા કહે છે:
નીકળી જાઓ, નિર્બળ હોય તો પણ અને શક્તિશાળી હોય તો પણ, અને અલ્લાહના માર્ગમાં પોતાના ધન અને પ્રાણ વડે જિહાદ કરો, આ જ તમારા માટે ઉત્તમ છે જો તમે જાણતા હોવ. સૂરે તોબા : ૪૧