અન્ય વિભાગ

જ.
૧. વાજિબ
૨. અલ્ મુસ્તહબ
૩. અલ્ મુહર્રમ
૪. અલ્ મુબાહ
૫. અલ્ મુબાહ

જ.
૧. અલ્ વાજિબ : દાખલા તરીકે પાંચ વખતની નમાઝ, રમઝાનના રોઝા, અને માતાપિતાની આજ્ઞા.
અલ્ વાજિબ :
જેના કરવાથી સવાબ મળશે, અને તે અમલ છોડવાવાળાને સજા મળશે.
૨. અલ્ મુસ્તહબ : દાખલા તરીકે સુન્નતે મુઅકકીદહ, તહજજુદની નમાઝ, ખાવાનું ખવડાવવું અને સલામ કરવુ, બીજું નામ સુન્નત અને મન્દુબ પણ કહે છે.
અલ્ મુસ્તહબ :
કામ કરવાવાળાને સવાબ મળશે અને તેને છોડવાવાળાને સજા નહિ મળે.
ખાસ નોંધ :

મુસલમાન પર જરૂરી છે કે જ્યારે પણ તે કોઈ સુન્નત અથવા મુસ્તહબ કાર્ય સાંભળે તો તે કાર્ય ચોક્કસ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને આપ ﷺ નું અનુસરણ કરવું જોઈએ.
૩. અલ્ મુહરિમ : દાખલા તરીકે શરાબ પીવું, માતાપિતાની નાફરમાની, સંબંધ તોડવા.
અલ્ મુહરિમ :
જેને છોડવાથી સવાબ મળશે, અને તેને કામ કરવાવાળાને જરૂર સજા મળશે.
૪. અલ્ મકરૂહ : દાખલા તરીકે, ડાબા હાથથી લેવું અને આપવું, નમાઝમાં બોયો ઉપર ચઢાવવી.
અલ્ મકરૂહ :
જે તેને છોડસે તેને જરૂર સવાબ મળશે અને જે તેને કરશે તેને સજા નહિ થાય.
૫. અલ્ મુબાહ : દાખલા તરીકે સફરજન ખાવું, ચા પીવી, અને તેનું જ જાઈઝ અને હલાલ પણ કહે છે.
અલ્ મુબાહ :
તે કામ છોડનારને ન તો સવાબ મળશે અને તે કામ કરવાવાળાને ન તો સજા મળશે.

જ : દરેક પ્રકારનો વેપાર અને વ્યવહાર હલાલ છે, પરતું કેટલાક પ્રકાર છે, જેને અલ્લાહ તઆલાએ હરામ કર્યા છે.
અલ્લાહ તઆલા કહે છે :
અલ્લાહ તઆલા વેપારને હલાલ કરે છે અને વ્યાજને હરામ કરે છે. સૂરે બકરહ : ૨૮૫

જ.
૧. ધોખો આપવો : તેમાંથી સોદાની ખામી છુપાવવી.
ધોખા વિશે સખત રોક લગાવી છે, આપ ﷺ અનાજના ઢેર પાસેથી પસાર થયા, તેમાં આપ ﷺ એ પોતાનો હાથ નાખ્યો, નીચેથી આપ ﷺએ અનાજ ભીનું જોયું, આપ ﷺએ કહ્યું કે હે વેપારી ! આ શું છે? તેણે કહ્યું, હે અલ્લાહના રસૂલ ! ગઈ કાલ રાત્રે વરસાદ પડ્યો હતો આપ ﷺએ કહ્યું, શું તને ખબર નથી કે લોકો અનાજને ઉપરથી જ જોઈ તારી પાસેથી ખરીદી કરે છે? યાદ રાખ ! જે ઘોખો આપે તે અમારા માંથી નથી. આ હદીષને ઈમામ મુસ્લિમે રિવાયત કરી છે.
૨. વ્યાજ : તેમાંથી એક વ્યાજ પણ છે, કોઈ વ્યક્તિને દેવા પેટે એક હજાર રૂપિયા એ શરત પર આપવા કે તે તેને પરત કરતી વખતે બે હજાર રૂપિયા પાછા આપશે.
જે વધારે રૂપિયા લેવામાં આવી રહ્યા છે, તે સૂદ ગણાશે, અને તે હરામ છે.
અલ્લાહ તઆલા કહે છે. અલ્લાહ તઆલા વેપારને હલાલ કરે છે અને વ્યાજને હરામ કરે છે. સૂરે બકરહ : ૨૮૫
અજ્ઞાનતા અને છુપો વેપાર : બકરીના થનમાં દૂધનો વેપાર એવી જ રીતે તળાવમાં માછલીઓનો વેપાર, જે હજુ સુધી તેની અંદાજો થયો ન હોય.
હદીષમાં છે :
આપ ﷺ એ અજ્ઞાન વેપાર કરવાથી રોક્યા છે. આ હદીષને ઈમામ મુસ્લિમે રિવાયત કરી છે.

જ. ૧. ઇસ્લામની નેઅમત : તમે કાફિરો માંથી નથી એ જ સોથી મોટી નેઅમત છે.
૨. સુન્નતની નેઅમત : તમે બિદઅતી લોકો માંથી નથી, એ પણ સોથી નેઅમત છે.
૩. તંદુરસ્તી અને આફીયતની નેઅમત : સાંભળવાની શક્તિ, જોવાની શક્તિ અને ચાલવાની શક્તિ આપી, એવી જ રીતે અન્ય અંગોને તંદુરસ્તી આપી.
૪. ખાવા, પીવા અને પહેરવા માટે કપડા આપ્યા.
અલ્લાહની ઘણી નેઅમતો છે, જેને આપણે ગણી નથી શકતા.
અલ્લાહ તઆલએ કહ્યું :
જો તમે અલ્લાહની નેઅમતોને ગણવા ઈચ્છો તો ગણી નથી શકતા, ખરેખર અલ્લાહ માફ કરવાવાળો અને રહેમ કરવાવાળો છે. સૂરે નહલ : ૧૮

જ : નેઅમતો પર તેનો શુકર કરવો જરૂરી છે, અને એવી રીતે કે જબાન વડે તેના વખાણ અને પ્રશંસા કરવી જોઈએ, અને એ કે વખાણને લાયક ફક્ત તે જ છે, અને તે નેઅમતોને એવી રીતે ઉપયોગમાં લેવી જોઈએ, જેના કારણે અલ્લાહ ખુશ થઇ જાય ન કે તેની નાફરમાની ન કરવી જોઈએ.

જ : ઇદુલ્ ફિતર અને ઇદુઝ ઝોહા.
જેવું કે અનસ રઝી.ની રિવાયતમાં છે કે તેઓ કહે છે કે આપ ﷺ મદીના શહેર આવ્યા, ત્યાં બે દિવસ એવા જોયા જેમાં લોકો રમત ગમત કરતા હતા, આપ ﷺ એ કહ્યું કે આ બે દિવસ ક્યા છે? તે લોકોએ કહ્યું કે અમે અજ્ઞાનતાનાં સમયથી આ બે દિવસમાં રમત ગમતનો ઉત્સવ મનાવીએ છીએ, તો આપ ﷺ એ કહ્યું, અલ્લાહ તઆલાએ તમારા માટે તે બે દિવસેને તેના કરતા વધારે શ્રેષ્ઠ દિવસો દ્વારા બદલી નાખ્યા છે, ઇદુલ્ ફિતર અને ઇદુઝ ઝોહા. આ હદીષ ઈમામ અબૂ દાવુદે રિવાયત કરી છે.
આ બન્ને ઈબાદત સિવાય જેટલી પણ ઇબાદતો છે બધી જ બિદઅત છે.

જ : રમઝાનનો શ્રેષ્ઠ મહિનો

જ : નજર નીચી કરી લેવી જરૂરી છે. અલ્લાહ તઆલા કહે છે : હે પયગંબર! તમે મોમિનો કહો કે તે પોતાની નજર નીચી રાખે. સૂરે નૂર : ૩૦

૧. નફસે અમ્મારહ : નફસ જેની ઈચ્છા કરે અને દિલમાં ઉત્પન્ન મનેચ્છાઓનું અનુસરણ કરી અલ્લાહની નાફરમાની કરવી, અલ્લાહ તઆલા કહે છે: હું પોતાના મનની પવિત્રતાનું વર્ણન નથી કરતો, નિ:શંક મનતો બુરાઇ તરફ જ પ્રોત્સાહીત કરે છે, પરંતુ જેના પર મારા પાલનહારની કૃપા હોય. ખરેખર મારો પાલનહાર ઘણો જ માફ કરનાર અને ઘણો જ દયાળુ છે. સૂરે યૂસુફ : ૫૩ ૨. શેતાન : ઇબ્ને આદમનો દુશ્મન છે, અને તેનો હેતુ ઇન્સનાને ગુમરાહ કરી અને તેની દિલમાં ખરાબ વસ્વસા નાખી તેને જહન્નમમાં દાખલ કરાવી દે, અલ્લાહ તઆલા કહે છે: અને શૈતાનના માર્ગ પર ન ચાલો, તે તમારો ખુલ્લો દુશ્મન છે. સૂરે બકરહ : ૧૬૮ ૩. ખરાબ લોકો : જે લોકો બુરાઈ કરવા પર ઉભારે છે, અને ભલાઈથી રોકે છે, અલ્લાહ તઆલા કહે છે: તે દિવસે પરહેજ્ગાર સિવાય દરેક મિત્રો એકબીજાના દુશ્મન બની જશે. સૂરે ઝુખરૂફ : ૬૭

જ : અત્ત તૌબતુ : અલ્લાહ તઆલાને નાફરમાનીથી બચીને તેની ઇતાઅત તરફ ફરવું, અલ્લાહ તઆલા કહે છે : હાં ! જે વ્યક્તિ તૌબા કરી લે અને ઈમાન લાવે અને સારા અમલ કરે, અને સત્ય માર્ગ પર જ રહેશે, તો ખરેખર હું તેને માફ કરવાવાળો છું. સૂરે તાહા: ૮૨

જ : ૧ ગુનાહ કરવાથી સંપૂર્ણ બચવામાં આવે.
૨. જે થઇ ગઈ તેના પર અફસોસ
૩. ફરી ગુનાહ ન કરવાનો કરાર, (વચન)
૪. જેનો હક માર્યો હોય, તેનો હક આપી દેવો અથવા જેના પર અત્યાચાર કર્યો હોય તેની પાસે માફી માંગી લેવી.
અલ્લાહ તઆલા કહે છે :
જ્યારે તેમનાથી કોઇ નિર્લજ્જ કાર્ય થઇ જાય અથવા કોઇ ગુનોહ કરી લે તો તરત જ અલ્લાહના નામનું સ્મરણ અને પોતાના પાપો માટે માફી માંગે છે. અલ્લાહ તઆલા સિવાય બીજું કોણ ગુનાહ માફ કરી શકે છે ? અને જાણ હોવા છતાંય પોતે કરેલ કામો પર અડગ નથી રહેતા.૧૩૫ સૂરે આલિ ઇમરાન : ૧૩૫

જ: તેનો અર્થ થાય છે કે તમે જ્યારે અલ્લાહ પાસે દુઆ માંગો ત્યારે નબી પર દરૂદ મોકલો જે સમગ્ર માનવ જાતમાં ઉચ્ચ દરજ્જો ધરાવે છે

જ. : તસ્બીહ : અલ્લાહ દરેક ખામી, એબથી અને બુરાઈથી પાક છે.

જ. અલ્લાહ તઆલાના વખાણ કરવા અને દરેક સંપૂર્ણ ગુણોવાળો છે.

જ. અર્થાત : અલ્લાહ દરેક વસ્તુથી મોટો, મહાન, પ્રભુત્વ શાળી અને ઇઝઝત વાળો છે.

જ. તેનો અર્થ : બંદો એક હાલતથી બીજી હાલત તરફ જઈ નથી શકતો અને ન તો તેનામાં શક્તિ છે પરંતુ એ કે અલ્લાહ ઈચ્છે તો તે જઈ શકે છે.

જ. અર્થાત : બંદો અલ્લાહ પાસે તેના ગુનાહો દૂર કરવા અને તેના પર પરદો નાખવાની વિનંતી કરી રહ્યો છે.